હઝકિયેલ 33:8 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ હઝકિયેલ હઝકિયેલ 33 હઝકિયેલ 33:8

Ezekiel 33:8
જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ.

Ezekiel 33:7Ezekiel 33Ezekiel 33:9

Ezekiel 33:8 in Other Translations

King James Version (KJV)
When I say unto the wicked, O wicked man, thou shalt surely die; if thou dost not speak to warn the wicked from his way, that wicked man shall die in his iniquity; but his blood will I require at thine hand.

American Standard Version (ASV)
When I say unto the wicked, O wicked man, thou shalt surely die, and thou dost not speak to warn the wicked from his way; that wicked man shall die in his iniquity, but his blood will I require at thy hand.

Bible in Basic English (BBE)
When I say to the evil-doer, Death will certainly overtake you; and you say nothing to make clear to the evil-doer the danger of his way; death will overtake that evil man in his evil-doing, but I will make you responsible for his blood.

Darby English Bible (DBY)
When I say unto the wicked, Wicked [man], thou shalt certainly die; and thou speakest not to warn the wicked from his way, that wicked [man] shall die in his iniquity; but his blood will I require at thy hand.

World English Bible (WEB)
When I tell the wicked, O wicked man, you shall surely die, and you don't speak to warn the wicked from his way; that wicked man shall die in his iniquity, but his blood will I require at your hand.

Young's Literal Translation (YLT)
In My saying to the wicked, O wicked one -- thou dost surely die, And thou hast not spoken to warn the wicked from his way, He -- the wicked -- in his iniquity doth die, And his blood from thy hand I require.

When
I
say
בְּאָמְרִ֣יbĕʾomrîbeh-ome-REE
unto
the
wicked,
לָרָשָׁ֗עlārāšāʿla-ra-SHA
O
wicked
רָשָׁע֙rāšāʿra-SHA
man,
thou
shalt
surely
מ֣וֹתmôtmote
die;
תָּמ֔וּתtāmûtta-MOOT
if
thou
dost
not
וְלֹ֣אwĕlōʾveh-LOH
speak
דִבַּ֔רְתָּdibbartādee-BAHR-ta
to
warn
לְהַזְהִ֥ירlĕhazhîrleh-hahz-HEER
the
wicked
רָשָׁ֖עrāšāʿra-SHA
from
his
way,
מִדַּרְכּ֑וֹmiddarkômee-dahr-KOH
that
ה֤וּאhûʾhoo
wicked
רָשָׁע֙rāšāʿra-SHA
man
shall
die
בַּעֲוֺנ֣וֹbaʿăwōnôba-uh-voh-NOH
in
his
iniquity;
יָמ֔וּתyāmûtya-MOOT
but
his
blood
וְדָמ֖וֹwĕdāmôveh-da-MOH
will
I
require
מִיָּדְךָ֥miyyodkāmee-yode-HA
at
thine
hand.
אֲבַקֵּֽשׁ׃ʾăbaqqēšuh-va-KAYSH

Cross Reference

હઝકિયેલ 33:14
“હું દુષ્ટ માણસને કહું કે તું મૃત્યુ પામશે, પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે યોગ્ય તથા ભલું છે તે કરે.

હઝકિયેલ 18:4
એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.

હઝકિયેલ 33:6
“‘પણ લશ્કરને આવતું જોઇને જો સંત્રી રણશિંગુ ન ફૂંકે અને લોકોને ન ચેતવે અને લશ્કર આવીને કોઇને મારી નાખે, તો તે પોતાને પાપે મર્યો હોવા છતાં હું એને માટે સંત્રીને જવાબદાર ઠેરવીશ.’

હઝકિયેલ 18:20
જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.

હઝકિયેલ 18:18
પરંતુ એના પિતાએ અન્યાય ગુજાર્યો હતો, ચોરી કરી હતી અને પોતાના લોકોનું ભૂંડું કર્યું હતું. એટલે તેને તો પોતાનાં પાપને કારણે મરવું જ પડશે.

યશાયા 3:11
પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.”

પ્રેરિતોનાં ક્રત્યો 20:26
તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ!

હઝકિયેલ 18:10
“પરંતુ જો તેનો પુત્ર લૂંટારો અથવા ખૂની હોય અને આમાંનું કોઇ પણ પાપ કરે,

હઝકિયેલ 13:9
ખોટાં સંદર્શનની વાત કરનાર અને જૂઠી વાણી ઉચ્ચારનાર પ્રબોધકોને હું સજા કરનાર છું. મારા લોકોની સભામાં તેમને સ્થાન નહિ મળે તેમના નામ ઇસ્રાએલીઓના ઇતિહાસમાં નોંધવામાં નહિ આવે. તેઓ ઇસ્રાએલની ધરતી પર ફરીથી પગ મૂકી શકશે નહિ. અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.

ચર્મિયા 14:13
પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.”‘

ચર્મિયા 8:11
તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે. તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી.

સભાશિક્ષક 8:13
સારું જીવન નહિ જીવનારા દુષ્ટ લોકો સાંજના પડછાયાની જેમ તેઓનું જીવન લંબાવી શકતા નથી, કારણ કે તેઓ દેવનો ડર રાખતા નથી.

નીતિવચનો 11:21
ખાતરી રાખજો દુષ્ટને સજા થયા વગર નહિ રહે, પણ સદાચારીઓનાં સંતાનો સજામાથી છટકી જશે.

ગણના 27:3
“અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો.

ઊત્પત્તિ 3:4
પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ.”

ઊત્પત્તિ 2:17
પરંતુ તમે સારાનરસાની સમજ આપનારાં વૃક્ષનાં ફળ તારે ખાવાં નહિ, જોે તું એ વૃક્ષનાં ફળ ખાઈશ તો તારું મૃત્યુ અવશ્ય તે જ દિવસે થશે.