John 10:5
પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
John 10:5 in Other Translations
King James Version (KJV)
And a stranger will they not follow, but will flee from him: for they know not the voice of strangers.
American Standard Version (ASV)
And a stranger will they not follow, but will flee from him: for they know not the voice of strangers.
Bible in Basic English (BBE)
They will not go after another who is not their keeper, but will go from him in flight, because his voice is strange to them.
Darby English Bible (DBY)
But they will not follow a stranger, but will flee from him, because they know not the voice of strangers.
World English Bible (WEB)
They will by no means follow a stranger, but will flee from him; for they don't know the voice of strangers."
Young's Literal Translation (YLT)
and a stranger they will not follow, but will flee from him, because they have not known the voice of strangers.'
| And | ἀλλοτρίῳ | allotriō | al-loh-TREE-oh |
| a stranger | δὲ | de | thay |
| οὐ | ou | oo | |
| not they will | μὴ | mē | may |
| follow, | ἀκολουθήσωσιν, | akolouthēsōsin | ah-koh-loo-THAY-soh-seen |
| but | ἀλλὰ | alla | al-LA |
| will flee | φεύξονται | pheuxontai | FAYF-ksone-tay |
| from | ἀπ' | ap | ap |
| him: | αὐτοῦ | autou | af-TOO |
| for | ὅτι | hoti | OH-tee |
| they know | οὐκ | ouk | ook |
| not | οἴδασιν | oidasin | OO-tha-seen |
| the | τῶν | tōn | tone |
| voice | ἀλλοτρίων | allotriōn | al-loh-TREE-one |
| τὴν | tēn | tane | |
| of strangers. | φωνήν | phōnēn | foh-NANE |
Cross Reference
1 John 4:5
અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે.
Revelation 2:2
“તું શું કરે છે તે હું જાણું છું, તુ સખત કામ કરે છે અને તું કદી છોડી દેતો નથી. હું જાણું છું કે દુષ્ટ લોકોને તું સ્વીકારતો નથી. અને જેઓ પ્રેરિતો હોવાનો દાવો કરે છે પણ તે ખરેખર એવા નથી. તેવા લોકોનો તેં પારખી લીધા છે. તને ખબર પડી છે કે તેઓ જુઠ્ઠા છે
1 John 2:21
મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.
1 John 2:19
ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.
1 Peter 2:1
તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો.
2 Timothy 4:3
એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે.
2 Timothy 3:5
એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.
Colossians 2:6
તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો.
Ephesians 4:11
અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું.
Mark 4:24
તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે.
Proverbs 19:27
હે મારા પુત્ર,જો તું જ્ઞાનનીવાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું જ્ઞાનના શબ્દોને ખોઇશ.
1 Kings 22:7
“પણ યહોશાફાટે પૂછયું, અહીં યહોવાનો બીજો કોઈ પ્રબોધક નથી, જેને આપણે આ પ્રશ્ર્ન પૂછી શકીએ?”
Luke 8:18
તેથી તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો તે માટે સાવધાન બનો. જે વ્યક્તિ પાસે થોડીક સમજશક્તિ હશે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે સમજશક્તિ નહિ હોય, તેની પાસેથી તેના ધારવા મુજબ જે થોડી સમજશક્તિ હશે તે પણ તે ગુમાવશે.”